કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સૌને કેન્સર સામે હિંમત અને ધીરજ રાખવા સંદેશો આપ્યો.

By: Nation Gujarat Team
04 Feb, 2026

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આજે તા. ૪ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસના દિવસે જણાવ્યું હતું કે, માણસને કેન્સર થાય છે એટલે તે હિંમત હારી જાય છે. જીવનથી કંટાળી જાય છે. આ એક મહારોગ છે. પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં હવે દવાઓ શોધાઈ છે. તેથી પ્રયત્ન કરવામાં આવે અને ભગવાનની કૃપા થાય તો કેન્સરમાંથી બહાર આવી શકાય છે.

આજના ઘણાં માણસો એવું માને છે કે, કેન્સર એટલે કેન્સલ.. પરંતુ એવું નથી. આપણે રોગ સામે લડવું જોઈએ. કેન્સરથી કંટાળીને ઘણાં દર્દીઓ આત્મહત્યા કરી લેવાનું વિચારે છે. પરંતુ તેમ ના કરતાં તેની સામે લડવું જોઈએ.

કેન્સર ના થાય તેના માટે આપણે વ્યસનોથી દૂર પણ રહેવું જોઈએ. કેન્સર કયાં કારણોથી થાય છે તે અંગે આપણે
સહુએ એક થઈને સમાજમાં જાગૃતિ આવે તે માટે પ્રયત્નો પણ કરવા જોઈએ.

વિશ્વ કેન્સર દિવસની ઉજવણીનો પ્રારંભ ઈ.સ. ૨૦૦૦થી થયો હતો. હવે દર વર્ષે સારાય વિશ્વમાં ઉજવાય છે.

કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે સેમીનારો કરવા જોઈએ.

કેન્સર સામે લડવાથી ઘણાં માણસો જીત્યા છે.

ભારતના ખ્યાતનામ ક્રિકેટરને ઈ.સ. ૨૦૧૧ માં કેન્સર થયું. તેઓ યુ.એસ.ગયા. ૨ વર્ષ સારવાર કરી અને પછી તેઓ પાછા ક્રિકેટમાં જોડાયા અને ભારત દેશનું કિકેટ રમીને વધુ નામ રોશન કર્યું. આવા તો ઘણા બધાના પ્રસંગો આપણને પ્રાપ્ત થશે.

યુવરાજ સિંહ કહેતા કે, કેન્સર મારી શારીરિક ક્ષમતા છીનવી શકશે, પરંતુ હિંમત ક્યારેય નહિ..અને હિંમતના કારણે હું કેન્સર સામે જીત્યો છું.

કેન્સર સામે વિજય મેળવવા માટે સકારાત્મક વિચારો કરવા જોઈએ. વ્યસન મુક્ત જીવન જીવવું જોઈએ. નિત્ય કસરત
કરવી જોઈએ. નિત્ય ધ્યાન કરવું જોઈએ અને હિંમત સાથે રોગની સામે લડતાં રહેવું જોઈએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ.

કેન્સર પીડીતોને ડોક્ટરી સારવાર માટે અમારો સંપર્ક કરવામાં આવશે તો શક્ય એટલી અમે ડોક્ટરોનો સંપર્ક કરીને તમને સહાયરૂપ થવા માટે પ્રયત્નો કરીશું.


Related Posts

Load more